﻿નહે..
7.
જયારે કોટનું બાંધકામ પૂરું થયું અને મેં દરવાજાઓ ઊભા કર્યા, ત્યારે દ્વારપાળો, ગાનારાઓ તથા લેવીઓની નિમણૂક કરવામાં આવી. 
મેં મારા ભાઈ હનાની અને કિલ્લાના અમલદાર હનાન્યાને યરુશાલેમનો હવાલો સોંપ્યો. કારણ કે તે ઘણો વિશ્વાસુ હતો તથા બીજા બધા કરતાં ઈશ્વરથી વિશેષ ડરનારો હતો. 
અને મેં તેઓને કહ્યું, “દિવસ ચઢે ત્યાં સુધી યરુશાલેમના દરવાજા ખોલવા નહિ અને જ્યારે ચોકીદારો ચોકી કરતા હોય ત્યારે તેઓએ દરવાજાનાં બારણાં બંધ રાખવાં. યરુશાલેમના રહેવાસીઓમાંથી તમારે ચોકીદારો નીમવા. દરેક જણ નિયત જગ્યાએ ચોકી કરે અને બાકીના પોતાના ઘર આગળ ચોકી કરે.” 
નગર ખૂબ વિસ્તારવાળું હતું. પણ તેમાં લોકો થોડા જ હતા અને ઘરો હજુ બંધાયાં નહોતા. 
મારા ઈશ્વરે મારા હૃદયમાં એવી પ્રેરણા કરી કે, ઉમરાવોને, અધિકારીઓને અને લોકોને વંશાવળી પ્રમાણે તેઓની ગણતરી કરવા માટે એકઠા કરવા. જેઓ સૌથી પહેલા આવ્યા હતા તેઓની વંશાવળીની યાદી મને મળી. તેમાં મને આ લખાણ જોવા મળ્યું કે. 
“બાબિલના રાજા નબૂખાદનેસ્સાર દ્વારા જે લોકોને બંદીવાન કરીને લઈ જવામાં આવ્યા હતા, તેઓમાંના જે લોકો યહૂદિયાનાં પોતપોતાનાં નગરોમાં અને યરુશાલેમમાં પાછા આવ્યા, 
એટલે ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રામ્યા, નાહમાની, મોર્દખાય, બિલ્શાન, મિસ્પરેથ, બિગ્વાય, નહૂમ તથા બાનાહની સાથે આવ્યા તેઓ આ છે. ઇઝરાયલના લોકોના પુરુષોની સંખ્યાવાર યાદી આ પ્રમાણે છે. 
પારોશના વંશજો બે હજાર એકસો બોતેર, 
શફાટયાના વંશજો ત્રણસો બોતેર, 
આરાહના વંશજો છસો બાવન, 
યેશૂઆ તથા યોઆબના વંશજોમાંના પાહાથ-મોઆબના વંશજો બે હજાર આઠસો અઢાર, 
એલામના વંશજો એક હજાર બસો ચોપન, 
ઝાત્તૂના વંશજો આઠસો પિસ્તાળીસ, 
ઝાકકાયના વંશજો સાતસો આઠ. 
બિન્નૂઈના વંશજો છસો અડતાળીસ, 
બેબાયના વંશજો છસો અઠ્ઠાવીસ, 
આઝગાદના વંશજો બે હજાર ત્રણસો બાવીસ, 
અદોનિકામના વંશજો છસો સડસઠ. 
બિગ્વાયના વંશજો બે હજાર સડસઠ, 
આદીનના વંશજો છસો પંચાવન, 
હિઝકિયાના આટેરના વંશજો અઠ્ઠાણું, 
હાશુમના વંશજો ત્રણસો અઠ્ઠાવીસ. 
બેસાયના વંશજો ત્રણસો ચોવીસ, 
હારીફના વંશજો એકસો બાર, 
ગિબ્યોનના વંશજો પંચાણું 
બેથલેહેમ તથા નટોફાથી એકસો ઈઠ્યાસી. 
અનાથોથના વંશજો એકસો ઈઠ્યાસી, 
બેથ-આઝમાવેથના વંશજો બેતાળીસ, 
કિર્યાથ-યારીમના કફીરાના તથા બેરોથના વંશજો સાતસો તેંતાળીસ, 
રામા તથા ગેબાના વંશજો છસો એકવીસ. 
મિખ્માશના વંશજો એકસો બાવીસ, 
બેથેલના તથા આયના વંશજો એકસો ત્રેવીસ, 
નબોના વંશજો બાવન, 
બીજા એલામના વંશજો એક હજાર બસો ચોપન. 
હારીમના વંશજો ત્રણસો વીસ, 
યરીખોના વંશજો ત્રણસો પિસ્તાળીસ, 
લોદના, હાદીદના તથા ઓનોના વંશજો સાતસો એકવીસ, 
સનાઆહના વંશજો ત્રણ હજાર નવસો ત્રીસ. 
યાજકો: યદાયાના વંશજો, યેશૂઆના કુટુંબનાં નવસો તોંતેર, 
ઈમ્મેરના વંશજો એક હજાર બાવન, 
પાશહૂરના વંશજો એક હજાર બસો સુડતાળીસ, 
હારીમના વંશજો એક હજાર સત્તર. 
લેવીઓ: યેશૂઆના તથા કાદમીએલના વંશજો, હોદેવાના વંશજોમાંના ચુંમોતેર. 
ગાનારાઓ: આસાફના વંશજો એકસો અડતાળીસ. 
દ્વારપાળો: શાલ્લુમના વંશજો, આટેરના વંશજો, ટાલ્મોનના વંશજો, આક્કુબના વંશજો, હટીટાના વંશજો અને શોબાયના વંશજો એક સો આડત્રીસ. 
ભક્તિસ્થાનના સેવકો: સીહાના વંશજો, હસૂફાના વંશજો, ટાબ્બાઓથના વંશજો, 
કેરોસના વંશજો, સીઆના વંશજો, પાદોનના વંશજો, 
લબાનાના વંશજો, હગાબાના વંશજો, શાલ્માયના વંશજો, 
હાનાનના વંશજો, ગિદ્દેલના વંશજો, ગહારના વંશજો. 
રાયાના વંશજો, રસીનના વંશજો, નકોદાના વંશજો, 
ગાઝ્ઝામના વંશજો, ઉઝઝાના વંશજો, પાસેઆના વંશજો, 
બેસાઈના વંશજો, મેઉનીમના વંશજો, નફીસીમના વંશજો. 
બાકબુકના વંશજો, હાકૂફાના વંશજો, હાર્હૂરના વંશજો, 
બાસ્લીથના વંશજો, મહિદાના વંશજો, હાર્શાના વંશજો, 
બાર્કોસના વંશજો, સીસરાના વંશજો, તેમાના વંશજો, 
નસીઆના વંશજો અને હટીફાના વંશજો. 
સુલેમાનના સેવકોના વંશજો: સોટાયના વંશજો, સોફેરેથના વંશજો, પરીદાના વંશજો, 
યાલાના વંશજો, દાર્કોનના વંશજો, ગિદ્દેલના વંશજો, 
શફાટયાના વંશજો, હાટ્ટીલના વંશજો, પોખરેથ-હાસ્સબાઈમના વંશજો અને આમોનના વંશજો. 
ભક્તિસ્થાનના સેવકો તથા સુલેમાનના સર્વ સેવકો મળીને ત્રણસો બાણું હતા. 
તેલ-મેલાહ, તેલ-હાર્શા, કરુબ, આદ્દોન તથા ઈમ્મેરમાંથી જેઓ પાછા આવ્યા હતા તે આ છે: પણ તેઓ ઇઝરાયલીઓમાંના હતા કે નહિ એ વિષે તેઓ પોતપોતાના પૂર્વજોના કુટુંબો તથા પોતપોતાના વંશજો બતાવી શક્યા નહિ. 
દલાયાના વંશજો, ટોબિયાના વંશજો તથા નકોદાના વંશજો છસો બેતાળીસ. 
યાજકોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાયના વંશજો. બાર્ઝિલ્લાયે ગિલ્યાદી દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું, તેથી તેઓનાં નામ પરથી તેનું નામ એ પડ્યું. 
જેઓ વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા તેઓમાં તેઓએ પોતાની નોંધ શોધી, પણ તે મળી નહિ, માટે તેઓ યાજકપદમાંથી ફરિગ કરાયા. 
આગેવાનોએ તેઓને કહ્યું કે ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય નહિ ત્યાં સુધી તેઓએ પરમપવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ. 
સર્વ લોકો મળીને બેતાળીસ હજાર ત્રણસો સાઠ માણસો હતા. 
તે ઉપરાંત તેઓના દાસો તથા દાસીઓ મળીને સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા. તેઓમાં ગાનારાઓ તથા ગાનારીઓ બસો પિસ્તાળીસ હતા. 
તેઓના ઘોડા સાતસો છત્રીસ હતા, તેઓનાં ખચ્ચર બસો પિસ્તાળીસ હતાં, 
તેઓનાં ઊંટો ચારસો પાંત્રીસ અને તેઓના ગધેડાં છ હજાર સાતસો વીસ હતાં. 
પૂર્વજોનાં કુટુંબોમાંના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામને માટે ભેટ આપી હતી. મુખ્ય સૂબાએ એક હજાર દારીક સોનું, પચાસ પાત્રો અને પાંચસો ત્રીસ યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં હતા. 
પૂર્વજોનાં કુટુંબોના આગેવાનોમાંથી કેટલાકે વીસ હજાર દારીક સોનું તથા બે હજાર બસો માનેહ ચાંદી ભંડારમાં આપ્યાં હતાં. 
બાકીના લોકોએ જે આપ્યું તે વીસ હજાર દારીક, બે હજાર માનેહ ચાંદી તથા સડસઠ યાજકવસ્ત્ર હતાં. 
તેથી યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો, કેટલાક લોકો, તથા સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા. સાતમા માસમાં ઇઝરાયલી લોકો પોતપોતાના નગરોમાં આવીને વસ્યા.” 
